રાજકોટ મહાનગરપાલિકા બાદ હવે મહેસાણા મનપા પણ ચા નાસ્તાના બેફામ ખર્ચ અને કથિત ભ્રષ્ટાચારના મુદ્દે ભારે ચર્ચામાં આવી છે.મહેસાણા મનપામાં ચા નાસ્તા માટે મંજૂર થયેલા 5 લાખના બજેટની સામે અધધ 12 લાખનો ધુમાડો કરી નાખવામાં આવ્યો છે.જનતાના ટેક્સના પૈસાનો આ પ્રકારે સરેઆમ બગાડ થતાં સ્થાનિક નાગરિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે.
અધિકારીઓની મનમાની હોવાની પૂરી આશંકા
આ સમગ્ર મામલે ગીતાંજલિ નામની એજન્સી પર મહેરબાનીને લઈને પણ અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.આરોપ છે કે વહીવટી તંત્રના અધિકારીઓએ તમામ નિયમોને નેવે મૂકીને આ ચોક્કસ એજન્સીને વારંવાર એક્સટેન્શન આપ્યું હતું.સરકારી નીતિ નિયમોનું ઉલ્લંઘન કરીને માત્ર એક જ એજન્સીને ફાયદો પહોંચાડવા પાછળ અધિકારીઓની મનમાની હોવાની પૂરી આશંકા સેવાઈ રહી છે.
