ઐતિહાસિક નગરી વડનગરના આંગણે આવતીકાલે 13 ઓગસ્ટના રોજ ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ રચાવા જઈ રહ્યો છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાત સરકાર દ્વારા આયોજિત વડનગર શ્રવણોત્સવનો વહેલી સવારે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતેથી મંગલ પ્રારંભ કરાવશે.સાથોસાથ તેઓ આ મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય ડમરુ યાત્રાને પણ પ્રસ્થાન કરાવશે.
108 નિષ્ણાત કલાકારો દ્વારા ડમરુ વાદન કરવામાં આવશે
વડનગરની ગરિમાને અનુરૂપ આ ડમરુ યાત્રામાં કુલ 108 નિષ્ણાત કલાકારો દ્વારા ડમરુ વાદન કરવામાં આવશે જે સમગ્ર નગરને શિવમય બનાવી દેશે.યાત્રાનો પ્રારંભ શર્મિષ્ઠા તળાવથી થશે ત્યાંથી અર્જુન બારી થઈને ભગતના ગલ્લાથી વળીને યાત્રા આગળ વધશે.ત્યારબાદ જુના ચાચરેથી પસાર થઈને,સ્વામિનારાયણ મંદિર અને ગોપાલજી મંદિર થઈ આ ભવ્ય ડમરૂ યાત્રા હાટકેશ્વર મહાદેવના મંદિરે સંપન્ન થશે.108 કલાકારોના એકસાથે થતા ડમરૂના ગુંજારવથી સમગ્ર વડનગર શિવમય બનશે અને ભક્તો માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહેશે.
