સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક આવેલા પવિત્ર ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં 14 સપ્ટેમ્બરથી વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળાનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. તરણેતરના મેળાને સત્તાવાર રીતે ખુલ્લો મૂકવામાં આવે તે પૂર્વે જ સમગ્ર મેળાગણ વિસ્તારમાં અચાનક વરસાદી માહોલ જામ્યો હતો અને જોરદાર વરસાદ વરસ્યો હતો.
તરણેતરના મેળા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં
તરણેતરના મેળાના ઉદ્ઘાટનના એક દિવસ પહેલાં જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે મેળાના મુખ્ય ગ્રાઉન્ડમાં ચારેય તરફ વરસાદી પાણી ભરાઈ ગયા છે. તરણેતરના મેળાના ગ્રાઉન્ડમાં પાણી અને કાદવ-કીચડનું સામ્રાજ્ય સ્થપાતા અહીં દુકાનો અને સ્ટોલ લગાવવા આવેલા સ્થાનિક તેમજ બહારગામના વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.



