મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જુના દેવળિયા ગામે યોજાયેલી ખેડૂત જાગૃતિ સભામાં મંત્રી કાંતિલાલ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાએ સરકાર સામે ગંભીર આક્ષેપો કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. ખેડૂત આંદોલનને સમર્થન આપ્યા બાદ પોતાના ત્યાં 6 વખત રેડ પડી હોવાનો ગંભીર આક્ષેપ તેમણે કર્યો હતો.
ખેડૂતોને યોગ્ય વળતર મળવું જરૂરી છે
ખેડૂત જાગૃતિ સભા દરમિયાન રાકેશ અમૃતિયાએ સરકારની નીતિઓ અને મંત્રી કાંતિલાલ અમૃતિયાના નિવેદન સામે પણ તીખી પ્રતિક્રિયા આપી હતી. ખેડૂતોની જમીનમાં થાંભલા નાખવા અને તેના વળતરના મુદ્દે તેમણે સ્પષ્ટ શબ્દોમાં સરકારને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે ખેડૂતોને યોગ્ય વળતર મળવું જરૂરી છે અને માત્ર સરકારી કાર્યવાહીથી ખેડૂતોની જમીન પર કબજો ચલાવી લેવામાં નહીં આવે.
