રાજ્યભરમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો સામે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે નવસારીમાં પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ હરકતમાં આવ્યું છે. નવસારી શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ગેરકાયદે વેચાણ તથા વપરાશ સામે તંત્ર દ્વારા સઘન સપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહીથી નકલી ડેરી પ્રોડક્ટ્સ વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

20થી વધુ ડેરી અને વેપારી એકમો પર ત્રાટકી ટીમ

નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અટકાવવા માટે ફૂડ વિભાગની ટીમે શહેરમાં ઠેર-ઠેર દરોડા પાડ્યા હતા. આ તપાસ ઝુંબેશ સંબંધિત મુખ્ય આંકડાકીય વિગતો નીચે મુજબ છે:

  • તપાસ કરાયેલા એકમો: 20થી વધુ
  • નમુના લીધા: 7
  • આ વસ્તુઓનું કરાયું ચેકિંગ: એનાલોગ ચીઝ, બટર અને પનીર

શહેરના મુખ્ય વેપારી મથકો, ડેરી પાર્લરો અને પ્રોસેસિંગ યુનિટ્સ પર અચાનક પહોંચીને અધિકારીઓએ માલસામાનની ગુણવત્તા ચકાસી હતી.

Navsari News: Food Department Raids 20 Units Over Fake Paneer & Cheese Concerns

7 શંકાસ્પદ સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલાયા

ચેકિંગ દરમિયાન અધિકારીઓને કેટલીક જગ્યાએ એનાલોગ અને ભેળસેળયુક્ત પનીર કે ચીઝ હોવાની શંકા જતાં કુલ 7 જેટલા ખાદ્ય સામગ્રીના નમૂના (Samples) સીલ કરવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલને પૃથ્થકરણ અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ તેમાં જો કોઈ પણ પ્રકારના હાનિકારક કે કેમિકલયુક્ત તત્વો માલૂમ પડશે, તો સંબંધિત એકમો સામે કાયદાકીય શિકંજો કસાશે.

Navsari News: Food Department Raids 20 Units Over Fake Paneer & Cheese Concerns

એનાલોગ પ્રોડક્ટ્સ પરના પ્રતિબંધનો કડક અમલ

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એનાલોગ પનીર, ચીઝ અને બટર પરના પ્રતિબંધનો નવસારીમાં કડકપણે અમલ થાય તે માટે ફૂડ વિભાગ કટિબદ્ધ બન્યું છે. અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ વેપારી ગ્રાહકોને અંધારામાં રાખીને કે ભેળસેળ કરીને નકલી પનીર અથવા એનાલોગ બનાવટો વેચતો પકડાશે, તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ આકરામાં આકરી શિક્ષાત્મક અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો - Navsari : સિંગાડ ગામે મનરેગા કૌભાંડમાં મોટી કાર્યવાહી: સરપંચ ઉમા પટેલ બરતરફ, 8.32 લાખ રિકવરીનો આદેશ