નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં બે માસ અગાઉ એક આંગડિયા પેઢીને નિશાન બનાવી રૂ. 12.50 લાખની સનસનાટીભરી લૂંટ ચલાવવામાં આવી હતી. આ ઘટના બાદ વાંસદા પોલીસ અને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમો દ્વારા મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
વાંસદામાં આંગડિયા પેઢીને નિશાન બનાવી
લૂંટના આ ગુનાનો મુખ્ય માસ્ટરમાઇન્ડ રાજારામ ચૌધરી લૂંટની રકમ સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો અને પોલીસ પકડથી બચવા માટે સતત પોતાના લોકેશન બદલી રહ્યો હતો.પોલીસની ધરપકડથી બચવા માટે ધુતારા રાજારામ ચૌધરીએ એક અનોખો કીમિયો અપનાવ્યો હતો. તે રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે આવેલા એક પ્રતિષ્ઠિત આશ્રમમાં પહોંચી ગયો હતો. ત્યાં આશ્રમના મહંતને પોતાની ગુનાહિત કુંડળી છુપાવીને ગેરમાર્ગે દોર્યા હતા અને તેમનો શિષ્ય બનીને સાધુનો વેશ ધારણ કરી લીધો હતો.
