સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વડેખણ ગામ ખાતે શિક્ષણ અને બાલમંદિર સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લખતર-દસાડા વિસ્તારના ધારાસભ્યના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ગામમાં નવીન પ્રાથમિક શાળાનું ખાતમૂહૂર્ત તથા નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ સંપન્ન થયું હતું.
આધુનિક સુવિધાઓથી સજ્જ બનશે વડેખણની નવી પ્રાથમિક શાળા
વડેખણ ગામે રૂ. 1.18 કરોડના મસમોટા ખર્ચે નવી પ્રાથમિક શાળા આકાર લેવા જઈ રહી છે. આ આધુનિક શાળામાં વિદ્યાર્થીઓ માટે 5 સુસજ્જ વર્ગખંડો, ફરતે સુરક્ષા માટે કમ્પાઉન્ડ વોલ તેમજ મધ્યાહ્ન ભોજન યોજના માટે અલગથી સ્પેશિયલ રૂમનું નિર્માણ કરવામાં આવશે. આ શાળાને તમામ પ્રકારની આધુનિક શૈક્ષણિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે, જેથી ગ્રામીણ વિસ્તારના બાળકોને ઉત્કૃષ્ટ શિક્ષણ મળી રહે.


