રાજ્ય સરકાર નાગરિકોને નવી નવી સુવિધાઓ મળે તે માટે હંમેશા અગ્રેસર રહે છે. ત્યારે ગાંધીનગર-અમદાવાદ અવરજવર કરતા લોકો માટે મેટ્રો સેવા પણ શરૂ કરવામાં આવી છે અને હજારોની સંખ્યામાં લોકો આ સેવાનો ઉપયોગ કરે છે. ત્યારે હવે જો તમે 19 એપ્રિલે ગાંધીનગર-અમદાવાદ મેટ્રો સેવાનો ઉપયોગ કરવાની વિચારી રહ્યા હોય તો આ સમાચાર પહેલા વાંચી લેજો.


સવારે 8:00 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી બંધ રહેશે

તમને જણાવી દઈએ કે 19 એપ્રિલે મેટ્રો સેવા થોડોક સમય માટે બંધ રહેશે. સવારે 8:00થી બપોરે 12.30 વાગ્યા સુધી મેટ્રો સેવા બંધ રહેશે. મોટેરાથી ગાંધીનગર સેક્ટર 1 સુધીનો મેટ્રોનો રૂટ બંધ રહેશે. મેટ્રો સેવા બંધ રાખવા પાછળનું કારણ એ છે કે આ સમય દરમિયાન મેટ્રોના ઈન્સ્પેક્શનની કામગીરી હાથ ધરાશે અને તેના કારણે રૂટ બંધ રહેશે. જો કે બપોરે 12.30 વાગ્યા બાદ નાગરિકો મેટ્રોનો ઉપયોગ કરી શકશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં તો મેટ્રો સેવા રાબેતા મુજબ ચાલશે. માત્ર ગાંધીનગર-અમદાવાદ મેટ્રો સેવા જ ઈન્સ્પેક્શન દરમિયાન 4 કલાક માટે બંધ રહેશે.

અમદાવાદ મેટ્રો ટ્રેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ

4 એપ્રિલે અમદાવાદ મેટ્રો ટ્રેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. થલતેજથી વસ્ત્રાલ તરફ જતી મેટ્રોમાં ખામી સર્જાઈ હતી. ટેક્નિકલ ખામીના કારણે મુસાફરોને કાલુપુર સ્ટેશને ઉતારવામાં આવ્યા હતા. અન્ય ટ્રેનમાં મુસાફરોને રવાના કરવામાં આવ્યા હતા. જો કે થોડા સમય બાદ મેટ્રોના બંને તરફના રૂટ ચાલુ કરી દેવામાં આવ્યા હતા. 

  • Follow us on: