વડાપ્રધાન મોદી આવતીકાલે 20 જૂનના રોજ પશ્ચિમ બંગાળના હુગલી ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો રિલીઝ કરશે.આ અવસરે વડાપ્રધાન દેશભરના કરોડો ખેડૂતો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરી વિશેષ સંબોધન આપશે.આ રાષ્ટ્રીય કાર્યક્રમના અનુસંધાને ગુજરાતમાં ગાંધીનગર ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના પીએમ કિસાન ઉત્સવ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશના 9.44 કરોડ ખેડૂત પરિવારોને મળશે સહાય
23મા હપ્તા હેઠળ વડાપ્રધાનના હસ્તે સમગ્ર દેશના 9.44 કરોડથી વધુ ખેડૂત પરિવારોને કુલ રૂ18880 કરોડથી વધુની સહાયનું સીધું વિતરણ કરવામાં આવશે.આ હપ્તા અંતર્ગત ગુજરાતના આશરે 51.28 લાખ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં રૂ1025 કરોડથી વધુની સહાય સીધી DBTના માધ્યમથી જમા થશે.આ યોજના હેઠળ અત્યાર સુધીના 22 હપ્તામાં દેશના 11 કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂ4.28 લાખ કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે.













