વિસાવદર તાલુકાના કાના વડલા ગામ ખાતે ખેડૂતોએ પોતાનો પાક બાળીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો, જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. ખાસ કરીને વિસાવદર તાલુકાના કાનાવડલા અને સોભાવડલા તેમજ મેંદરડા તાલુકાના દેડકીયાળી ગામના ખેડૂતોની સ્થિતિ દયનીય છે.
મગફળીના પાકને મોટુ નુકસાન
ચિત્રોમાં સ્પષ્ટ જોઈ શકાય છે, કે મગફળીનો પાક છે જેના પર ખેડૂતોએ આખું વર્ષ મહેનત કરી, પરંતુ કમોસમી વરસાદે બધું જ તબાહ કરી નાખ્યું, પરંતુ ખેડૂતોનો આ રોષ માત્ર વરસાદ સામે નથી. તેમનો આક્રોશ છે સરકારની નીતિઓ સામે, ખોખલી જાહેરાતો સામે પણ છે, દર વખતે વરસાદ થાય એટલે સરકાર આવે અને મોટી મોટી વાતો કરે, સહાયની જાહેરાતો કરે પણ મળતું કશું જ નથી તેવો આક્ષેપ ખેડૂતોનો છે, ખેતરમાં પાણી ભરેલું છે. ખેડૂતને રવિ પાક લેવો છે એટલે પાક સળગાવ્યા સિવાય બીજો કોઈ રસ્તો જ નતી.













