રાજકોટના જસદણમાં સરકારે જાહેર કરેલી સહાયને લઇને ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. મામલતદાર કચેરીમાં સર્વર બંધ રહેતા ખેડૂતોને હાલાકી ભોગવવી પડી છે.


જસદણ મામલતદાર ઓફિસ ખાતે પોતાના સાતબારનો ઉતારો કાઢવા માટે પહોંચ્યા ત્યાં સર્વર જ બંધ જોવા મળ્યું

સરકાર દ્વારા ખેડૂત અને સહાય પેકેજને લઈને મોટી જાહેરાત કરી હતી. સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું અને ખેડૂતો આ માટે ફોર્મ ભરવાના હતા. ખેડૂતો જ્યારે જસદણ મામલતદાર ઓફિસ ખાતે પોતાના સાતબારનો ઉતારો કાઢવા માટે પહોંચ્યા ત્યાં સર્વર જ બંધ જોવા મળ્યું હતું.

મામલદાર કચેરીમાં છેલ્લા 2 દિવસથી સર્વર બંધ

જસદણ મામલદાર કચેરીમાં છેલ્લા 2 દિવસથી સર્વર બંધ છે જેના કારણે ખેડૂતોને સાતબારનો ઉતારો મળી શકતો નથી જેના કારણે ખેડૂતોને ધક્કો પડી રહ્યો છે. બે દિવસથી સર્વર બંધ હોવા છતાં કોઇ પગલાં લેવામાં આવતા નથી.

 વહેલી સવારથી ખેડૂતો પોતાના સાતબારના ઉતારા કાઢવા માટે લાઇનમાં ઊભા રહ્યા

મામલતદાર કચેરીમાં વહેલી સવારથી ખેડૂતો પોતાના સાતબારના ઉતારા કાઢવા માટે લાઇનમાં ઊભા રહ્યા હતા પણ સર્વર ડાઉન હોવાથી ખેડૂતોને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે.

 સરકારે 15 દિવસમાં રાહત પેકેજના ફોર્મ ભરવાની જાહેરાત કરી છે

ઉલ્લેખનિય છે કે સરકારે 15 દિવસમાં રાહત પેકેજના ફોર્મ ભરવાની જાહેરાત કરી છે પણ હવે ખેડૂતોને સર્વર ડાઉન હોવાથી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ગઇ કાલે માત્ર પાચથી છ ખેડૂતો અને આજે માત્ર બેથી ત્રણ ખેડૂતોના જ સાતબારના ઉતારા નિકળી શક્યા છે.


  • Follow us on: