અમદાવાદમાં આજથી એટલે કે 12 જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026ની શરૂઆત કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ આજે પતંગ મહોત્સવને લોકો માટે ખુલ્લો મુક્યો છે. ત્યારે હવે આ પતંગ મહોત્સવના સમયને હવે 17 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. શહેરના રિવરફ્રન્ટમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે અને લોકો મોટી સંખ્યામાં તેમાં ભાગ લે છે.

આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં 50 દેશોના 135 પતંગબાજો જોડાયા

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026ની શરૂઆત થઈ ચૂકી છે. PM મોદીના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. આ પતંગોત્સવમાં જર્મનીના ચાન્સેલર પણ હાજર રહ્યા હતા. સાથે જ 50 દેશના 135 પતંગબાજો મહોત્સવમાં જોડાયા છે. દેશ-વિદેશના પતંગ રસિયાઓએ પતંગ ચગાવ્યા છે. જેના કારણે આકાશ રંગબેરંગી પતંગોથી રંગાયું છે.

'હર હર મોદી ઘર ઘર મોદી'ના પતંગ આકાશમાં ઉડ્યા

પતંગોત્સવમાં 936 ભારતીય પતંગબાજો પણ જોડાયા છે. 'હર હર મોદી ઘર ઘર મોદી'ના પતંગ આકાશમાં ઉડ્યા છે. ઓપરેશન સિંદૂરનો પતંગ આકાશમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ પતંગ મહોત્સવમાં 5 લાખથી વધુ મુલાકાતીઓ આવશે તેવી શક્યતા છે. વિશાળ ચબૂતરા સાથે સાંસ્કૃતિક સંગીતની ઝાંખી પણ પતંગ મહોત્સવમાં જોવા મળી છે. હેરિટેજ પોળની થીમ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: Gandhinagar: GPSCમાં નવા સચિવની નિમણૂંક, 2021 બેચના IAS અધિકારી એસ.કે. પટેલ સંભાળશે પદભાર