અમદાવાદમાં આજે એક ભયાનક વિમાન દુર્ઘટના જોવા મળી છે. અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લેનને ટેકઓફ કર્યા પછી અકસ્માત થયો. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જે બધાના આ અકસ્માતમાં મૃત્યુ થયા છે. પ્લેન ક્રેશ બનાવના પગલે LG હોસ્પિટલમાં તમામ તૈયારી મનપા દ્વારા કરી દેવામાં આવી છે. તમામ ઇમરજન્સી વોર્ડમાં વધારાના 4 રેસીડેન્સને હાજર રહેવા સૂચના અપવામાં આવી છે. તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર , દવાઓ હાજર રાખવા સૂચના આપી દેવામાં આવી છે. તમામ ડોક્ટરોને રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી સોંપવામાં આવી છે.


 LG હોસ્પિટલમાં મનપા દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી

પ્લેન ક્રેશની ઘટનામાં પ્લેનમાં સવાર તમામ લોકોના મોત થયા છે. આ ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. આ પ્લેનમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના લોકો હતા. જેમાં આણંદ જિલ્લાના 33 યાત્રીઓ હોવાનું પણ સામે આવ્યું છે. પ્લેન ક્રેશની ઘટના પછી અમદાવાદ મનપા દ્વારા LG હોસ્પિટલમાં તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

 રેસીડેન્સ તબીબને હાજર રહેવા માટે સૂચના

અમદાવાદ મનપાએ વધારાના રેસીડેન્સ તબીબને હાજર રહેવા માટે સૂચના આપી છે. તથા તમામ ડોક્ટરોને રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી સોપવામાં આવી છે. અમદાવાદમાં પ્લેન 1:40 વાગ્યે ક્રેશ થઈને પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. રહેણાંક વિસ્તારમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતા નાસભાગ મચી હતી. આ ઘટનાના 2 કિ.મી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. 

  • Follow us on: