અમદાવાદ થી લંડન જતાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં અનેક પરિવારના માળા વિખેરાયા છે. ત્યારે વડોદરાના પંચાલ દંપત્તિ પણ મોતને ભેટ્યા છે. હતભાગી પંચાલ દંપત્તિના મૃતદેહનો ડીએનએ ટેસ્ટ કર્યા બાદ તેમના પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. અને વડોદરા લાવવામાં આવ્યો હતો. વડોદરા ખાતે વડસર વિસ્તારમાં દંપત્તિની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ સમયે તેમના સ્વજનો અને સ્થાનિકો એકત્ર થયા હતા. અને પંચાલ દંપત્તિને શ્રદ્ધાંજલિ આપી હતી.
અમદાવાદમાં પ્લેન ક્રેશ













