જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકોને હાંકી કાઢવામાં આવ્યા હતાં. અમદાવાદમાં મીની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા વિસ્તારમાંથી પણ બાંગ્લાદેશીઓને તેમના દેશમાં રવાના કરાયા હતાં. તે છતાંય કેટલાક લોકો છટકીને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં રહેવા જતા રહ્યા હતાં. ત્યારે અમદાવાદમાંથી ફરીવાર ગેરકાયદે રહેતા 10 બાંગ્લાદેશીઓ પકડાયા છે.
અસલાલી પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપાયા













