અમદાવાદમાં ભર ચોમાસે પાણીની પારાયણ જોવા મળી, અમદાવાદના ખાડિયા વિસ્તારના લોકો છેલ્લા 15 દિવસથી હેરાન થઈ રહ્યા છે. AMCની બેવકૂફીથી પોળવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. એક પોળમાં એક દિવસમાં 30 થી વધુ પાણીના ટેન્કરોના ફેરા મારવા પડે છે. સારંગપુર પાણીની જર્જરિત ટાંકી તોડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના જ તાબડ તોબ પાણી બંધ કરી દેવાના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાના અન્ય વિસ્તારોમાં પણ ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે.


લોકો કામકાજ છોડી લાઇનમાં ઉભા રહેવા મજબૂર

અમદાવાદના ખાડિયા વિસ્તાર સિવાય આકા શેઠ કૂવાની પોળ, જેઠાભાઈની પોળ, મોટા સુથારવાડા, નાના સુથારવાડામાં ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે. લોકોને કામકાજ છોડીને ટેન્કર આવતા પાણી ભરવા માટે લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. Amc પ્રશાસનના અણધડ આયોજનને કારણે ખાડિયામાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે આથી પોળના રહીશો છેલ્લા 15 દિવસથી પરેશાન થઈ રહ્યા છે. એક પોળમાં એક જ દિવસમાં ટેન્કરના 30 થી પણ વધુ ફેરા કરવા પડે છે. સિનિયર સિટિઝનો લાઈનમાં ઉભા રહી પાણી ભરવા મજબૂર બન્યા છે.

તંત્રની ઘોર બેદરકારીથી રહીશો ત્રસ્ત

અમદાવાદ જેવી સ્માર્ટ સિટીમાં સરેરાશ વરસાદમાં પણ રસ્તાઓની સ્થિતિ બિસ્માર જોવા મળે છે. આ અગાઉ પણ વરસાદી સિઝનમાં પણ શાહપુરના રહીશો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. મનપા દ્વારા પાણી આપવામાં ના આવતા શાહપુરના લોકો ટેન્કર બોલાવવા મજબૂર બન્યા હતા.


  • Follow us on: