અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડ્યો હતો.ભારે ભીડ,ઉકળાટ અને ગરમીના માહોલ વચ્ચે રથયાત્રાના રૂટ પર આરોગ્ય સંબંધી નાની-મોટી તકલીફોના કારણે કુલ 41 જેટલા ઈમરજન્સી કેસો નોંધાયા હતા. આ તમામ કટોકટીના સમયે 108 એમ્બ્યુલન્સ અને આરોગ્ય વિભાગની ટીમોએ સજ્જ રહીને દર્દીઓને તાત્કાલિક સેવા પૂરી પાડી હતી.
15 જણા બેભાન થયા હતાં
આ તમામ કેસોમાં સૌથી વધુ 15 કેસ ભારે ભીડ અને બફારાને કારણે ચક્કર આવવાના નોંધાયા હતા.આ ઉપરાંત ગીચતાવાળા વિસ્તારોમાં શ્વાસ લેવામાં તકલીફ થવાના 5 કેસ અને ચાલુ રથયાત્રા દરમિયાન સંતુલન ગુમાવીને પડી જવાના 4બનાવો સામે આવ્યા હતા. રથયાત્રાના રૂટની આસપાસ માર્ગ અકસ્માતના 3 કેસ અને પેટના દુખાવાના 2 કેસ પણ નોંધાયા હતા. જેમાં દર્દીઓને સમયસર મદદ પહોંચાડવામાં આવી હતી.
