અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને જન્ય રોગચાળો અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.શહેરના 7 ઝોનમાં 1000થી પણ વધુ કન્સ્ટ્રક્શન સાઇટો પર કડક તપાસ હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન 211 સ્થળોએ મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા હતા.આરોગ્ય વિભાગે મચ્છરોના બ્રિડિંગ ધરાવનાર 16 સાઇટોને તાત્કાલિક સીલ કરી દીધી છે.જ્યારે અન્ય 349 સાઇટોને નોટિસ ફટકારવામાં આવી છે.
રોગચાળો અટકાવવા તંત્ર એકશનમાં
શહેરમાં પાણી ભરાયેલું હોય તેવી સાઇટના જવાબદારો અને મેનેજરો માટે કોર્પોરેશનની સૂચના બાદ રજાઓ રદ્દ કરવાનો કડક નિર્ણય લેવાયો છે.રોગચાળાના આંકડા પર નજર કરીએ તો,શહેરમાં ડેન્ગ્યુના 60 અને મેલેરિયાના 38 કેસ નોંધાયા છે.જ્યારે માત્ર જુલાઈ મહિનામાં જ ડેન્ગ્યુના 40 કેસ સામે આવ્યા છે.આ સિવાય જુલાઈ માસમાં પાચનતંત્ર અને પાણીજન્ય રોગોનું પ્રમાણ પણ ચિંતાજનક રહ્યું છે.જેમાં ઝાડા-ઉલટીના 422 કેસ,ટાઇફોઇડના 267 કેસ અને કમળાના 88 કેસ ચોપડે નોંધાયા છે.
