ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અમદાવાદના એક દિવસીય પ્રવાસે પહોંચ્યા છે, જ્યાં તેઓ સંગઠન મજબૂત કરવાની દિશામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેમના આગમન દરમિયાન જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા. સવારે રાષ્ટ્રીય અધ્યક્ષે સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લીધી અને શહેરના વિકાસકાર્યોની માહિતી મેળવી. ત્યારબાદ તેઓ ભદ્રકાળી માતાનું મંદિર ખાતે દર્શન માટે પહોંચવાના છે.
MLA બાબુ જમનાદાસના નિવાસસ્થાને બેઠક યોજાશે
સવારે 11 વાગ્યે પ્રદેશ પદાધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સંવાદ યોજશે, જેમાં સંગઠન વિસ્તરણ, સભ્યતા અભિયાન અને આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ MLA બાબુ જમનાદાસના નિવાસસ્થાને બેઠક યોજાશે, જ્યાં સ્થાનિક રાજકીય મુદ્દાઓ પર વિચારવિમર્શ કરવામાં આવશે. સાથે સાથે સામાજિક અગ્રણીઓ સાથે ખાસ સંવાદ યોજી વિવિધ વર્ગોને પાર્ટી સાથે વધુ સક્રિય રીતે જોડવાના પ્રયાસો પર ભાર મુકાયો છે.
