ગાયિકા કિંજલ રબારી પોતાના પતિ નરસિંહભાઈ (મુકેશભાઈ) રબારી તથા પોતાની બહેન જાનકીબેન અને બનેવી સાથે ચાંદખેડા સ્થિત CBD મોલ ખાતે ફિલ્મ જોવા આવ્યા હતા. આ દરમિયાન તબિયત ખરાબ હોવાનું કહીને કિંજલ મોલની બહાર ઊભી હતી.
કિંજલ રબારીના કથિત અપહરણ મામલો

ગાયિકા કિંજલ રબારી પોતાના પતિ નરસિંહભાઈ (મુકેશભાઈ) રબારી તથા પોતાની બહેન જાનકીબેન અને બનેવી સાથે ચાંદખેડા સ્થિત CBD મોલ ખાતે ફિલ્મ જોવા આવ્યા હતા. આ દરમિયાન તબિયત ખરાબ હોવાનું કહીને કિંજલ મોલની બહાર ઊભી હતી.
કિંજલ રબારીના કથિત અપહરણ મામલો
https://twitter.com/sandeshnews/status/2096639560956666083
નરસિંહભાઈના જણાવ્યા મુજબ, એક સફેદ શર્ટ પહેરેલ અજાણ્યા ઈસમે તેમને પકડી રાખ્યા હતા અને તે જ સમયે કિંજલ કાળી ગાડી (વેન્યુ/ક્રેટા) માં બેસીને જતી રહી હતી. આ મામલે નરસિંહભાઈએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અપહરણ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે BNS ની કલમો 137/2, 126/2 અને 54 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની જાણ થતાં જ ચાંદખેડા પોલીસે મોલના CCTV ફૂટેજ તપાસ્યા હતા. જેમાં કિંજલ પોતે જ ગાડીમાં બેસતી નજરે પડે છે. પોલીસે ભૂતપૂર્વ પતિ અશોક ચૌધરી સાથેના ચાલી રહેલા સિવિલ કોર્ટના કેસ, અગાઉના આંતરજ્ઞાતીય લગ્ન અને પરિવાર સામે કરેલા આક્ષેપો સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને અલગ-અલગ દિશામાં તપાસ લંબાવી છે.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માલધારી એકતા સમિતિના અધ્યક્ષ નાગજીભાઈ દેસાઈએ નિવેદન જારી કર્યું છે: સમાજના યુવાનોએ આ ઘટનામાં લાગણીમાં આવ્યા વગર દૂર રહેવું. સામાજિક આગેવાનો અને હોદ્દેદારોએ પણ આ વિવાદથી સંપૂર્ણ અંતર જાળવવું. નાગજીભાઈ દેસાઈએ કડક શબ્દોમાં ટકોર કરતાં કહ્યું હતું કે, "જે લોહીનું ના થાય, એ કોઈનું ના થાય".