અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ખોરજ ગામમાં બનેલી એક ઘટનામાં પોલીસ દ્વારા ઠાકોર સમાજના અગ્રણીઓ પર શારીરિક અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાના ગંભીર આરોપો સાથે વિવાદ વકર્યો છે. આ કથિત અત્યાચારના વિરોધમાં વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારના ઠાકોર સમાજ તથા કોળી યુવા સંગઠન દ્વારા આજે વિરમગામ મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. ઘટનાક્રમ: આ વિવાદની શરૂઆત 9 નવેમ્બર, 2025ના રોજ ખોરજ ગામમાં એક સામાન્ય ઝઘડાને કારણે થઈ હતી.
ઠાકોર સમાજ અને કોળી યુવા સંગઠન મેદાને













