અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ખોરજ ગામમાં બનેલી એક ઘટનામાં પોલીસ દ્વારા ઠાકોર સમાજના અગ્રણીઓ પર શારીરિક અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાના ગંભીર આરોપો સાથે વિવાદ વકર્યો છે. આ કથિત અત્યાચારના વિરોધમાં વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારના ઠાકોર સમાજ તથા કોળી યુવા સંગઠન દ્વારા આજે વિરમગામ મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. ઘટનાક્રમ: આ વિવાદની શરૂઆત 9 નવેમ્બર, 2025ના રોજ ખોરજ ગામમાં એક સામાન્ય ઝઘડાને કારણે થઈ હતી.


ઠાકોર સમાજ અને કોળી યુવા સંગઠન મેદાને

આ મામલે પોલીસે ઠાકોર સમાજના આગેવાન મહેશભાઈ ઠાકોર અને અન્ય ચાર વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો હતો. ત્યારબાદ, 13 નવેમ્બર, 2025ના રોજ સાણંદ GIDC પોલીસે આ પાંચેય વ્યક્તિઓને અટકાયતમાં લીધા હતા. સમાજનો આરોપ છે કે, તપાસના બહાને તેમને DYSP ઓફિસ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમના પર શારીરિક અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. સમાજે આ કૃત્યને અયોગ્ય, ગેરકાયદેસર અને માનવ અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. સમાજની માંગણીઓ: આ ગેરવર્તણૂક સામે ઠાકોર સમાજમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. સાણંદ તાલુકાના 2000થી વધુ અગ્રણીઓએ 17 નવેમ્બરે આવેદન આપ્યા બાદ, 20 નવેમ્બર, 2025ના રોજ વિરમગામ સહિતના વિસ્તારોના ઠાકોર સમાજે મામલતદારને આવેદનપત્ર આપીને નીચે મુજબની મુખ્ય માંગણીઓ કરી છે:

  • મહેશભાઈ ઠાકોર અને અન્ય વ્યક્તિઓ પર થયેલા પોલીસ અત્યાચારની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.
  • સંબંધિત અધિકારીઓ સામે યોગ્ય વિભાગીય કાર્યવાહી કરવામાં આવે.
  • પીડિતોને કાયદેસર સુરક્ષા અને ન્યાય મળે.
  • સમગ્ર ઘટનાનો સત્તાવાર તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવે.

આ પણ વાંચો : Junagadh News : સંદેશ ન્યૂઝના અહેવાલની અસર, જુનાગઢમાં રાહત પેકેજમાં ઉઘરાણાં લેનાર દુકાન સંચાલક અને વીસી સામે તપાસના આદેશ 

  • Follow us on: