અમદાવાદના રાણીપ બસપોર્ટ ખાતે રાજ્યના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા 51 નવી ST બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવી બસોમાં વોલ્વો, સ્લીપર અને ડિલક્સ બસોનો સમાવેશ થાય છે. આ નવા ઉમેરાથી રાજ્યની વાહનવ્યવહાર સુવિધામાં નોંધપાત્ર વધારો થયો છે, જે મુસાફરો માટે એક મોટી રાહત છે. સરકારે મુસાફરોની સુવિધા અને આરામનું ધ્યાન રાખીને આ બસોનો કાફલો વધાર્યો છે. આ બસોના કારણે રાજ્યના દૂર-સુદૂરના ગામડાઓને પણ સિટી સાથે જોડવામાં મદદ મળશે.


મુસાફરોને લાંબા અંતરમાં આરામ દાયક સુવિધા

આ નવી બસોના સમાવેશથી મુસાફરોને વધુ સગવડતા અને આરામદાયક મૂસાફરીનો અનુભવ મળશે. આધુનિક સુવિધાઓ સાથેની આ બસો ખાસ કરીને લાંબા અંતરની મૂસાફરી કરતા લોકો માટે લાભદાયક સાબિત થશે. સરકારનો ઉદેશ્ય સ્પષ્ટ છે કે રાજ્યના તમામ નાગરિકોને પરિવહન શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે. આ ઉપરાંત, આ નવી બસો પર્યાવરણને અનુકૂળ ટેક્નોલોજીથી સજ્જ હોવાથી પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ કરશે.

હર્ષ સંઘવીનું નિવેદન

વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સરકાર રાજ્યમાં જાહેર પરિવહન સેવાઓને સુધારવા માટે કટિબદ્ધ છે. આ નવી બસોનો સમાવેશ એ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આગામી સમયમાં પણ આવી જ રીતે નવી સુવિધાઓ ઉમેરવાનું કાર્ય ચાલુ રહેશે. આ પહેલથી રાજ્યના વિકાસને ગતી મળશે અને નાગરિકોની સુવિધામાં વધારો થશે.


  • Follow us on: