વલસાડના ધરમપુરમાં યોજાનાર IPS અધિકારીઓની 3 દિવસીય ચિંતન શિબર મોકૂફ રાખવામાં આવી છે. ધરમપુર ખાતે રાજ્યના IPS અધિકારીઓ સહિત 200 પોલીસ અધિકારીઓ ત્રણ દિવસની ચિંતન શિબિરમાં ભાગ લેવાના હતાં. 11થી 13 ઓગસ્ટ સુધી આ શિબિર યોજાવાની હતી. પરંતુ 15 ઓગસ્ટે તિરંગા યાત્રા યોજાવાની હોવાથી આ શિબિર મોકૂફ રાખવામાં આવી છે.
વલસાડના ધરમપુરમાં યોજાવાની હતી શિબિર













