ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ ભરતીની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારો માટે એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા આગામી 30 સપ્ટેમ્બર, 2026થી વિધિવત રીતે શરૂ કરવામાં આવશે. ભરતી બોર્ડના આ નિર્ણયથી લાંબા સમયથી તૈયારી કરી રહેલા ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
લોકરક્ષક કેડરની 12,933 જગ્યાઓ માટે 1,98,063 ઉમેદવારો ચકાસણી પ્રક્રિયામાં જોડાશે
હાલમાં રાજ્યમાં લોકરક્ષક કેડરની કુલ 12,933 જગ્યાઓ ભરવા માટેની મસમોટી ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્રથમ તબક્કાની આ દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયામાં કુલ 1,98,063 ઉમેદવારોના દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી હાથ ધરવામાં આવશે. ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારોએ નિયત સમયે અને સ્થળે હાજર રહેવું ફરજિયાત રહેશે.
