ભારતીય રેલવેએ તબીબી ક્ષેત્રે એક અનોખો અને ઐતિહાસિક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. સામાન્ય રીતે જીવિત અંગોના ઝડપી પરિવહન માટે એર એમ્બ્યુલન્સ કે હવાઈ માર્ગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, પરંતુ પ્રથમવાર ભારતીય રેલવે મારફતે જીવિત હૃદય એક જગ્યાએથી બીજી જગ્યાએ સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યું છે.
સુરતથી અમદાવાદ વંદે ભારતમાં હૃદય લવાયું
સુરતથી અમદાવાદ આવી રહેલી સુપરફાસ્ટ 'વંદે ભારત' ટ્રેનમાં આ જીવિત હૃદયને અત્યંત સુરક્ષિત અને ચોક્કસ સમયમર્યાદામાં અમદાવાદ પહોંચાડવામાં આવ્યું હતું. ટ્રેનમાં મેડિકલ ટીમની વિશેષ દેખરેખ હેઠળ આ હૃદયને લાવવામાં આવ્યું હતું. રેલવે તંત્ર દ્વારા આ માટે ખાસ ગ્રીન સિગ્નલ અને વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેથી ટ્રેન વિક્ષેપ વગર સમયસર પહોંચી શકે.


