નેપાળમાં છેલ્લા 2 દિવસથી સત્તા સામે થયેલા બળવાના કારણે હિંસક પરિસ્થિતી ઉભી થઇ છે. પ્રદર્શનકારીઓએ અનેક સ્થળે આગ ચાંપી છે જ્યારે તોડફોડ કરી છે. આવા સમયે ગુજરાતથી નેપાળ ફરવા ગયેલા 300થી વધુ લોકો નેપાળના કાઠમંડુમાં ફસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
સિક્યોરિટી સાથે ગુજરાતીઓને હોટલમાં રખાયા
નેપાલની હિંસક પરિસ્થિતિ વચ્ચે ગુજરાતીઓ ફસાઇ ગયા છે. એક ટુર ઓપરેટરે કહ્યું હતું કે નેપાળમાં 300થી વધારે લોકો ફસાયા છે અને સિક્યોરિટી સાથે ગુજરાતીઓને હોટલમાં રખાયા છે. તેમણે કહ્યું કે સંજોગો અનુકૂળ થતા ભારત પરત લવાશે.













