નેપાળમાં કાઠમંડુમાં છેલ્લા 2 દિવસથી પરિસ્થિતી એકદમ ગંભીર બની છે. સરકાર સામે વિરોધ કરી રહેલા લોકો હવે આક્રમક બન્યા છે અને ઠેર ઠેર તોડફોડ તથા આગચંપી કરી રહ્યા છે જેના કારણે નેપાળ ગયેલા ગુજરાતના પ્રવાસીઓ પણ ફસાયા છે. નેપાળમાં ફિંસા ફાટી નિકળતા સ્થિતિ વણસી ગઇ છે ત્યારે અનેક લોકો ત્યાં ફસાઇ ગયા છે
અમદાવાદનો બારોટ પરિવાર પણ નેપાળમાં ફસાયો
અમદાવાદનો બારોટ પરિવાર પણ નેપાળમાં ફસાયો છે. બારોચટ પરિવારે તત્કાળ નેપાળમાંથી બહાર કાઢવા માટે સરકાર સમક્ષ મદદની માગ કરી છે. આ પરિવાર કાઠમંડૂ એરપોર્ટ પર ફસાયેલો છે પણ ફ્લાઇટ સેવા બંધ કરી દેવાઇ હોવાથી પ્રવાસીઓને પોતાના દેશ વતનમાં પરત ફરવા માટે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. કાઠમંડુ એરપોર્ટ આજે સાંજ સુધી બંધ કરી દેવાયું છે.













