અમદાવાદમા થયેલી વિમાન દુર્ઘટનામાં મૃતકોના ડીએનએ લેવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સુરતથી બાય પ્લેન મહેસાણા પહોંચ્યા હતાં. અમદાવાદ એરપોર્ટ બંધ હોવાથી તેઓ મહેસાણા પહોંચ્યા હતાં. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવી પહોંચ્યા છે. તેઓ એરપોર્ટથી સીધા જ દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતાં.


અમિત શાહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા

અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી. આ ઘટના બાદ તેઓ દિલ્હીથી અમદાવાદ આવવા માટે નીકળી ગયા હતાં. અમિત શાહ અમદાવાદ એરપોર્ટથી દુર્ઘટના સ્થળે પહોંચ્યા છે. જ્યાં તેમણે સમગ્ર સ્થિતિની માહિતી મેળવી છે. તેમણે સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યાં હતાં.

અમિત શાહે મંત્રી અને અધિકારીઓ સાથે બેઠક કરી

અમિત શાહે મંત્રીઓ અને અધિકારીઓ સાથે સિવિલ હોસ્પિટલમાં બેઠક કરી હતી. તમામ સુવિધા પૂરી પાડવા સૂચનાઓ આપી હતી. ત્યાર બાદ તેમણે સર્કિટ હાઉસમાં બેઠક કરી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર હતાં. અમિત શાહે સાંસદ અને પોલીસ કમિશનર સાથે ચર્ચાઓ કરી હતી. આ બેઠકમાં કોર્પોરેશનના અધિકારીઓ અને ઉડ્ડયન વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં.

  • Follow us on: