પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ યોજના અંતર્ગત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ્સને મોટી રાહત આપતો નિર્ણય લેવાયો છે.અત્યાર સુધી મોટી કંપનીઓ અને કોર્પોરેટ સંસ્થાઓ સુધી મર્યાદિત રહેલી આ યોજનાનો લાભ હવે CA ફર્મ્સને પણ મળશે.આ ફેરફારથી હજારો નાની,મધ્યમ અને મોટી CA ફર્મ્સ માટે નવી તકો ઊભી થશે.
ઇન્ટર્નશિપ યોજનામાં CA ફર્મ્સનો સમાવેશ
CA.ડૉ. જૈનિક વકીલ, પૂર્વ ચેરમેન, ICAI અમદાવાદ બાન્ચના જણાવ્યા મુજબ, અગાઉ આ યોજના હેઠળ ઈન્ટર્ન્સને આપવામાં આવતા સ્ટાઈપેન્ડનો હિસ્સો કંપનીઓ તેમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડમાંથી ચૂકવતી હતી.જોકે મોટાભાગની CA ફર્મ્સ ભાગીદારી અથવા પ્રોપ્રાઈટરશિપ મોડેલ હેઠળ કાર્યરત હોવાથી તેમની પાસે CSR બજેટ ઉપલબ્ધ હોતું નથી.પરિણામે તેઓ આ યોજનાનો લાભલઈ શકતા નહોતા. હવે કેન્દ્ર સરકારે નિયમોમાં ફેરફાર કરીને CA ફર્મ્સને પણ યોજનામાં સામેલ કરી છે.જેના કારણે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ક્ષેત્રના યુવાનોને વ્યાવસાયિક વાતાવરણમાં પ્રાયોગિક તાલીમ મેળવવાની વધુ તક મળશે.












