પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ માલ લોડિંગ અને માલ આવક, મુસાફર આવક, મૂળભૂત ઢાંચાના સુધારણા અને વિકાસ, સુરક્ષા કાર્યો, મુસાફર સુવિધાઓ વગેરે ક્ષેત્રોમાં પ્રભાવશાળી પ્રદર્શન કરી રહ્યું છે। અમદાવાદ મંડળે જુલાઈ 2025માં ઉત્તમ પ્રદર્શન કરીને નક્કી કરેલા લક્ષ્યોને પાર કર્યા અને માલવહન, મુસાફર સેવાઓ તેમજ બિન-ભાડા આવકમાં નવા રેકોર્ડ સ્થાપિત કર્યા.
સૌથી વધુ માલવહનની આવક ₹24.37 કરોડ નોંધાવી, જેમાં 83 રેક લોડ કરવામાં આવ્યા હતા
ડિવિઝનલ રેલ્વે મેનેજર અમદાવાદ વેદ પ્રકાશે આ સિદ્ધિ માટે સંપૂર્ણ ટીમને અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યમાં પણ આ જ ગતિ જાળવવા માટે પ્રેરિત કર્યા, માલવહન ક્ષેત્રમાં, અમદાવાદ મંડળે જુલાઈ 2025માં ₹553.62 કરોડની આવક કરી, જે માસિક લક્ષ્ય ₹536.26 કરોડ અને ગયા વર્ષની આવક ₹529.78 કરોડ કરતાં વધુ છે. 23 જુલાઈએ મંડળે એક જ દિવસમાં અત્યાર સુધીની સૌથી વધુ માલવહનની આવક ₹24.37 કરોડ નોંધાવી, જેમાં 83 રેક લોડ કરવામાં આવ્યા હતા.
Also Read
Railway News : નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ અને ઓખા-દેહરાદૂન એક્સપ્રેસ આંશિક રદ્દ રહેશે
Railway News : ઉત્તર ગુજરાતમાં રેલ કનેક્ટિવિટીના નવા યુગની શરૂઆત, હિંમતનગર-ખેડબ્રહ્મા સેક્શનનું ગેજ કન્વર્ઝન કાર્ય પૂર્ણ
Railwayએ રચ્યો નવો ઇતિહાસ! પહેલીવાર માલગાડી સિમેન્ટ લઈને કાશ્મીરના અનંતનાગમાં ગુડ્સ શેડ ખાતે પહોંચી
ઔદ્યોગિક મીઠાની લોડિંગથી ₹1.03 કરોડનું યોગદાન આપ્યું
ટર્મિનલ સ્તરે પણ નવા રેકોર્ડ બન્યા-ગેટવે રેલ ફ્રેટ લિમિટેડ, વિરમગામે ₹7.63 કરોડ (60 રેક) અને બીપીસી લિમિટેડ, ખારી રોહર રોડે ₹25.65 કરોડ (53 રેક)ની આવક કરી. નવી ચીજો અને સ્થળોની વાત કરીએ તો, ભૂસાની (ચારાની) એક મિની રેક લોડ કરવામાં આવી, જેમાંથી ₹16.64 લાખની આવક થઈ. સાથે જ મંડળે ડાનકુની, બારા, હિન્ડોન સિટી, નિડવાન્ડા, બેવર, અઝારા, ઘુગુસ, લાતૂર રોડ, ધારાશિવ અને ન્યૂ ઉધના જેવા નવા સ્થળોએ માલ પહોંચાડ્યો, જેમાંથી ₹5.30 કરોડની આવક થઈ. નવા ગ્રાહકોમાં ITC લિમિટેડ અને મા કામાખ્યા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ઘઉ અને ઔદ્યોગિક મીઠાની લોડિંગથી ₹1.03 કરોડનું યોગદાન આપ્યું.
નોન-ડિજિટલ જાહેરાત બોર્ડનો કરાર ₹14 લાખમાં આપવામાં આવ્યો છે
પાર્સલ અને લીઝિંગ ક્ષેત્રમાં, એસએલઆરએસ પર કરવામાં આવેલી તપાસ દરમિયાન 34.71 ક્વિન્ટલ વધારાનું વજન ઝડપાયું, જેના કારણે ₹0.71 લાખની વસૂલી થઈ. 01, 21 અને 22 જુલાઈએ યોજાયેલી ઈ-નીલામી દ્વારા 5 સંપત્તિઓ લીઝ પર અપાઈ, જેથી બે વર્ષમાં ₹19.59 કરોડની આવક થશે, બિનભાડા આવકમાં પણ વૃદ્ધિ નોંધાઈ, મણિનગર અને અમદાવાદ સ્ટેશનો પરના જાહેરાત કરારોથી ત્રણ વર્ષમાં ₹66 લાખ અને અમદાવાદ સ્ટેશન પરના રેડિયો ટેક્સી કરારથી ₹64 લાખની આવક થશે. ગાંધીધામ સ્ટેશનના વેઇટિંગ રૂમના નવીનીકરણ અને જાળવણીના કરારથી પાંચ વર્ષમાં ₹26.86 લાખની આવક થશે. મણિનગર સ્ટેશનની પશ્ચિમ દિવાલ પર ત્રણ વર્ષ માટે 1600 વર્ગફુટના નોન-ડિજિટલ જાહેરાત બોર્ડનો કરાર ₹14 લાખમાં આપવામાં આવ્યો છે.
16 જુલાઈથી અંબાલિયાસણ સ્ટેશન પર નવું સ્ટોપ આપવામાં આવ્યું
તેમજ મણિનગર અને વટવા રેલવે સ્ટેશનો પર 2-2 પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીનોના 5 વર્ષ માટેના કરારો ₹5 લાખમાં ઈ-નીલામી દ્વારા આપવામાં આવ્યા છે. અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2, 2A, 3, 4 અને 5 પર ગ્લો, સાઇન બોર્ડ/એલઈડી ફ્લેંજ મારફતે જાહેરાત માટેનો કરાર ₹40 લાખમાં આપવામાં આવ્યો છે. મુસાફર સેવાઓમાં, અમદાવાદ મંડળે પશ્ચિમ રેલવેમાં પ્રથમ વખત અસારવા સ્ટેશન પર NextGen UTS-cum-PRS ટિકિટિંગ સિસ્ટમ અમલમાં મૂકી. જુલાઈમાં 32 વિશેષ ટ્રેન યાત્રાઓ ચલાવવામાં આવી, જેમાંથી 0.35 લાખ મુસાફરો પાસેથી ₹3.70 કરોડની આવક થઈ. 209 વધારાના કોચ ઉમેરવામાં આવ્યા, જેમાંથી 10 હજાર મુસાફરો પાસેથી ₹2.87 કરોડની આવક થઈ. ટ્રેન નંબર 20959/60 વલસાડ–વડનગર ઈન્ટરસિટીને 16 જુલાઈથી અંબાલિયાસણ સ્ટેશન પર નવું સ્ટોપ આપવામાં આવ્યું.
અર્થવ્યવસ્થાના બહુમુખી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે
ડિજિટલ ટિકિટિંગમાં પણ તેજી જોવા મળી, જેમાં PRSની 22% અને UTSની 23% બુકિંગ ઓનલાઈન થઈ, જેના કારણે કુલ આવકમાં 25% થી વધુનું યોગદાન મળ્યું. પાર્કિંગ અને કેટરિંગ ના ક્ષેત્રમાં, કલોલ અને સાબરમતી સ્ટેશનો પર પે એન્ડ પાર્કના કરારો આપવામાં આવ્યા, જેમાંથી ક્રમશઃ ત્રણ વર્ષમાં ₹4.52 લાખ અને એક વર્ષમાં ₹55.55 લાખની આવક થશે. 21 જુલાઈએ યોજાયેલી ઈ-નીલામી દ્વારા સિદ્ધપુર (2) અને સામાખિયાળી (1) ખાતે કેટરિંગ એકમો તથા ગાંધીધામ અને હિમ્મતનગર સ્ટેશનો પર ત્રણ વોટર વેન્ડિંગ મશીનોના પાંચ વર્ષના કરાર પર આપવામાં આવ્યા, જેમાંથી કુલ ₹44.07 લાખની આવક થશે, આ શાનદાર પ્રયાસો દ્વારા અમદાવાદ મંડળ ભારતીય રેલવે અને દેશની અર્થવ્યવસ્થાના બહુમુખી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.










