પખવાડા દરમિયાન અમદાવાદ મંડળના મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મો, સર્ક્યુલેટિંગ એરિયા અને યાત્રી સુવિધાઓની સઘન સફાઈ કરવામાં આવી. કચરાપેટીની ઉપલબ્ધતા અને તેના જતનનું નિરીક્ષણ કરવામાં આવ્યું, તેમજ નાળીઓ, શૌચાલયો, પહોંચ માર્ગો, ફૂટ ઓવર બ્રિજ અને વેઇટિંગ રૂમ્સની વિશેષ સફાઈ કરવામાં આવી.
શૌચાલયો, ગેંગવે અને વેસ્ટિબ્યુલ ક્ષેત્રો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું
પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યા અને સૂકા તથા ભીના કચરાના માટે અલગ-અલગ કચરાપેટીની વ્યવસ્થા કરવામાં આવી. હરિત ઊર્જાનો ઉપયોગ વધારવા માટે સૌર ઊર્જા ઉપકરણોના સંચાલન અને જતનની તપાસ કરવામાં આવી. સાથે જ, સ્વચ્છતા અને દુર્ગંધ નિયંત્રણ માટે સ્ટેશનો પર નાળીઓ અને શૌચાલયોની સફાઈ સુનિશ્ચિત કરવામાં આવી. ટ્રેન વોશિંગ લાઈનો પર વિશેષ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું, જેમાં શૌચાલયો, ગેંગવે અને વેસ્ટિબ્યુલ ક્ષેત્રો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું.













