અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નારાણપુરા સ્થિત શ્રદ્ધા દીપ સોસાયટીમાં મકાનની છતના પોપડા ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. અચાનક મોટો અવાજ સાથે છતમાંથી પ્લાસ્ટર અને કોંક્રીટના પોપડા નીચે પડતાં સોસાયટીના રહીશોમાં ક્ષણભર માટે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
જૂના બાંધકામને કારણે સળિયા સડી ગયા
ઘટનાની વિગતો અનુસાર, આ સોસાયટીના મકાનો ખૂબ જ જૂના બાંધકામ ધરાવે છે. લાંબા સમયથી યોગ્ય જાળવણીના અભાવે અને મકાન જૂનું થઈ ગયું હોવાથી છતના આંતરિક લોખંડના સળિયા પણ ભારે સડી ગયેલી અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે. આ જર્જરિત સ્થિતિને કારણે જ છતનો કેટલોક ભાગ અચાનક તૂટી પડ્યો હતો.
