અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત પિલર નિર્માણની કામગીરીને વેગ આપવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના કામકાજને કારણે વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 10 જુલાઈથી 31 જાન્યુઆરી 2027 સુધી લાંબા સમય માટે ટ્રાફિક ડાયવર્ઝન અમલી રહેશે. આ સમયગાળા દરમિયાન RTO સર્કલથી ચાંદખેડા તરફ જતો મુખ્ય માર્ગ તેમજ RTOથી UGVCL સુધીનો માર્ગ સામાન્ય વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
સ્થાનિક રહેવાસીઓ માટે માત્ર ટુ-વ્હીલરની મંજૂરી
નવા જાહેરનામા અનુસાર બંધ કરવામાં આવેલા આ માર્ગ પરથી માત્ર સ્થાનિક રહેવાસીઓને જ રાહત આપવામાં આવી છે.જેઓ માત્ર પોતાના ટુ-વ્હીલર લઈને પસાર થઈ શકશે.અન્ય તમામ વાહનચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.સાબરમતી અને ચાંદખેડા તરફ જવા માંગતા નાગરિકો હવે ચિમનભાઈ બ્રિજ થઈને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે, જેથી બુલેટ ટ્રેનનું કામ પણ અવરોધ વિના પૂરજોશમાં ચાલી શકે.
