અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરા ગત વર્ષે સતત બીમાર રહેતી હતી. જેથી તેના માતા-પિતા ઓળખીતા ચંદ્રકાંત પંચાલ નામના શખ્સના સંપર્કમાં આવ્યા હતા. ચંદ્રકાંત પંચાલ પોતાની ઓળખ ભુવા તરીકે આપતો હતો. તેણે સગીરાને ભૂત વળગ્યું હોવાનું કહીને વિધિ કરવાની વાત કરી હતી.
ઢોંગીએ 15 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ
વિધિ દરમિયાન માતા-પિતાને રૂમની બહાર મોકલી દઈ, આરોપીએ સગીરાને કેફી પીણું પીવડાવી અર્ધબેભાન કરી દીધી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ રીતે વિધિના નામે તેણે 3 થી 4 વખત સગીરાને પિછાણ કરી હતી.આરોપીએ માત્ર અંધશ્રદ્ધાનો સહારો લીધો નહોતો, પરંતુ પરિવારની નબળી આર્થિક સ્થિતિનો પણ ગેરફાયદો ઉઠાવ્યો હતો. તેણે વિધિ કરવાથી ઘરની સ્થિતિ સુધરી જશે અને 'સોનું મળશે' તેવી લાલચ આપીને સગીરાને વારંવાર બોલાવી હતી. કુકર્મ બાદ જો આ અંગે કોઈને કહેશે તો પરિવારનું ખરાબ થઈ જશે તેવી ધમકીઓ પણ આપી હતી.
