અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા 'વંદે માતરમ્ યુવા ઉદઘોષ' નામના એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના યુવાનોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રીયતાની ભાવના વધુ પ્રબળ બને તેવા ઉદ્દેશ્ય સાથે ભાજપના અગ્રણી નેતાઓ અને યુવા મોરચાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

શાળા-કોલેજોમાં 2 મહિના સુધી ચાલશે જાગૃતિ અભિયાન

આ કાર્યક્રમ હેઠળ ભાજપ યુવા મોરચા દ્વારા આગામી બે મહિના સુધી રાજ્યની વિવિધ શાળા અને કોલેજોમાં એક ખાસ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને બાળકોમાં રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' ના ગાન પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ તેના ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વ વિશે યુવા પેઢીને માહિતગાર કરવાનો છે.

દિગ્ગજ આગેવાનોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ

આ પ્રસંગે સાંસદ હેમાંગ જોષી અને મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત ભાજપના વિશિષ્ટ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવો અને આગેવાનો દ્વારા આ અભિયાનની વિધિવત શરૂઆત કરાવવામાં આવી હતી અને યુવાનોને આ રાષ્ટ્રભક્તિના મહાઅભિયાનમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાવા આહ્વાન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Surat News : પાંડેસરામાં દારૂના નશામાં ભાઈ-ભાઈ વચ્ચે બબાલ, નાના ભાઈને ઘરમાં કર્યો કેદ અને પછી...