વિરમગામ રેલવે સ્ટેશન પર રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) પોલીસના જવાનની સરાહનીય કામગીરી સામે આવી છે, જ્યાં તેમણે ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા પડી ગયેલા એક વૃદ્ધ મુસાફરનો જીવ બચાવ્યો છે.

વિરમગામ રેલવે સ્ટેશન પર RPF જવાનની સતર્કતા

પ્રાપ્ત માહિતી અનુસાર, વિરમગામ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૫ પર જામનગર-અમદાવાદ ટ્રેન આવી હતી. આ દરમિયાન, 60 વર્ષીય જેનીશ શાહ નામના વૃદ્ધ મુસાફર ચાલુ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરતા અચાનક પ્લેટફોર્મ પર પટકાયા હતા.આ અકસ્માત થતા વૃદ્ધ મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે આવી ગયા હતા, જેના કારણે તેમનો જીવ જોખમમાં મુકાયો હતો.

સતર્કતા દાખવીને વૃદ્ધને ઝડપથી બહાર કાઢ્યા 

જોકે, પ્લેટફોર્મ પર હાજર RPF પોલીસ જવાન મુકેશ સૈની એ તાત્કાલિક અને અત્યંત સતર્કતા દાખવીને વૃદ્ધને ઝડપથી બહાર કાઢ્યા હતા, અને તેમનો જીવ બચાવી લીધો હતો. આ ઘટના બાદ વૃદ્ધને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. RPF જવાન મુકેશ સૈનીની સમયસૂચકતા અને બહાદુરીને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે.

 આ પણ વાંચો: કિન્નર સમાજમાં ચરમસીમાએ માથાકૂટ, નિકિતા દે દ્વારા મીરા દે પર ગંભીર આક્ષેપો