1988માં 15 ઓગસ્ટના રોજ ગોંડલમાં સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમમમાં પોપટ સોરઠીયાની અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ હત્યા રાજકીય દુશમનાવટમાં કરવામાં આવી હતી. આ કેસમાં સજા પામેલા અનિરુદ્ધસિંહ જાડેજાને વર્ષ 2018માં સજા માફી માટે આપીને મુક્ત કરવામાં આવ્યા હતા. અનિરુદ્ધસિંહ જાડેજાની આ સજા માફીને રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠીયાએ અરજી કરી હતી.


પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠીયા હત્યા કેસ

પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠીયા હત્યા કેસમાં HCએ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ હત્યા કેસે સમગ્ર સૌરાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ સર્જ્યો હતો.આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને અન્ય એક આરોપીની TADA એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. 10 જુલાઈ 1997માં હાઈકોર્ટે નીચલી કોર્ટને ચુકાદો પલટાવ્યો અને અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારી હતી. અનિરુદ્ધસિંહ જાડેજાએ 18 વર્ષની સજા ભોગવી હતી. વર્ષ 2018માં સજામાફી આપીને જેલ મુક્ત કરવામાં આવ્યા હતા.

આ હત્યા કેસે સમગ્ર સૌરાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ સર્જ્યો હતો

રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠીયાના હત્યા કેસમાં 4 અઠવાડિયામાં હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. આ ઉપરાંત દરરોજ હાજરી પુરાવવા અને પાસપોર્ટ જમાં કરાવાવનો પણ આદેશ કર્યો છે. ગત તા.29-1-2018ના રોજ તત્કાલિન જેલોના એડીજીપી ટી.એસ.બિષ્ટ દ્વારા જુનાગઢ જેલ ઓથઓરિટીને પત્ર લખાયો હતો, અને તેના આધારે જાડેજાને સજા માફી આપી દેવાઈ હતી.


  • Follow us on: