અંબાજીમાં કોટેશ્વર શક્તિપીઠમાં ચાંદીનું થાળું ચોરાયું હોવાની ઘટના સામે આવી છે. મોડી રાતે તસ્કરોએ કોટેશ્વર શક્તિપીઠને નિશાન બનાવ્યું હતું. 15 દિવસ પહેલા ભક્તે દાનમાં ચાંદીનું થાળું આપ્યું હતું. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું મંદિર. પોલીસ અને ડોગ સ્ક્વોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી ચે. તાત્કાલિક આરોપી પકડાય તેવી શિવભક્તોની માગ છે.ચોરી થતા મંદિરના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે.


કોટેશ્વર શક્તિપીઠમાં ચાંદીનું થાળું ચોરાયું 

કોટેશ્વર શક્તિપીઠ ખાતે 21 લાખની કિંમતના ચાંદીનું થાળું ચોરાયું હોવાની ઘટના સામે આવી છે. ચાંદીનું થાળું મોડી રાતે તસ્કરો ચોરી ગયા છે. 4 ઓગસ્ટના રોજ જોધપુરના ભક્તે દાન આપ્યું હતું 15 પંદર દિવસમાં ચોરી થઈ ગયું છે. આજે 18 ઓગસ્ટના રોજ શિવ મંદિરમાંથી ચાંદીનું થાળું ચોરાયું છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું મંદિર છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં સરસ્વતી નદીના કિનારે આવેલું છે.

21 લાખની કિંમતના ચાંદીનું થાળું ચોરાયું 

રાત્રે 12.10 વાગે તસ્કરો શિવ મંદિરમાંથી ચોરી કરી હતી. મંદિરના તમામ દરવાજા બંધ કરાયા છે. આ ઘટનાની જાણ પોલીસમાં કરતા પોલીસ અને સિક્યુરિટી સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો છે. ડોગ સ્કોડ મંદિર ખાતે થોડા સમય બાદ પહોંચશે. અંબાજી પંથકમાં છેલ્લા કેટલાય સમયથી ચોરીની, અસામાજિક તત્વોનો ઘટનાઓમાં વધારો થયો છે. પોલીસ દ્વારા તાત્કાલિક આરોપી પકડાય તેવી શિવ ભક્તો માંગ કરી રહ્યા છે.

  • Follow us on: