બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં અસામાજિક તત્વો બન્યા છે બેફામ. અંબાજી ગ્રામ પંચાયત અને 51 શક્તિપીઠ સર્કલ વચ્ચે મુખ્ય બજારમાં એક યુવકને માર મારવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટનાએ અંબાજી આવતા ભક્તો અને સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાવ્યો હતો. આજે બળેવના તહેવારને લઈને આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં બજારમાં ખરીદી કરવા માટે આવ્યા હતા.
કેટલાક લુખ્ખા તત્વોએ અંબાજીના યુવકને જાહેરમાં માર્યો માર













