અમરેલી સાવરકુંડલા રોડ પર અકસ્માત થતા કાર ચાલાક પર હુમલો કરવામાં આવ્યો હતો. કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલકને ઈજાઓ થતા મામલો ઉગ્ર બન્યો હતો. બાઇક ચાલકના પરિવારજનો મોટી સંખ્યામાં આવી કાર પર તૂટી પડ્યા હતા. કારમાં તોડફોડ કરી મોટી સંખ્યામાં લોકોએ કાર પર રોષ વ્યક્ત કર્યો હતો. રાહદારી યુવકએ મામલો થાળે પાડવા કાર પર હુમલો નહીં કરવાનું કહેનારા નિર્દોષને દોરડા વડે બાંધી હુમલો કર્યો હતો. રોડ પર ટ્રાફિકજામ થતા પોલીસ દોડી આવી હતી. વાહન વ્યહાર શરૂ કરાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


અકસ્માત બાદ નિર્દોષને માર માર્યો

અમરેલીમાં અકસ્માત બાદ નિર્દોષને માર મારવાનો બનાવ સામે આવ્યો છે.સાવરકુંડલા રોડ પર કાર-બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનામાં બાઈકચાલકના પરિજનો કારચાલકને મારતા હતા. તેવામાં અન્ય યુવક મામલો થાળે પાડવા જતા તેમને લોકોના ટોળા દ્વારા દોરડાથી બાંધીને માર મારવામાં આવ્યો હતો. સમય સર પોલીસ આવી જતા મામલો થાળે પડ્યો હતો.

લોકોએ કારમાં તોડફોડ કરી

આ અકસ્માતમાં લોકો દ્વારા કારમાં તોડફોડ કરીને કારને નુકસાન કરવામાં આવ્યું હતું. અકસ્માત થતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસને ઘટનાની જાણ થતા દોડી આવી હતી. પોલીસ દ્વારા ટ્રાફિક હલ કરી મામલો શાંત કર્યો હતો.


  • Follow us on: