અમરેલીમાં દેશની શાન ગણાતા સાવજ ઉપર અત્યારે સંકટ આવ્યું છે. અમરેલીમાં બે સિંહ બાળના શંકાસ્પદ મોત થયા. જયારે બીજા કેટલાક સિંહ બાળની હાલત નાજુક હોવાથી વનવિભાગે રેસ્કયુ કર્યું. સિંહ બાળના શંકાસ્પદ મોત અને અન્ય સ્થિતિ વધુ ખરાબ થતા વનવિભાગ દોડતું થયું. ભેદી રોગચાળાની આશંકાએ વન વિભાગ દ્વારા સિંહબાળને બચાવવાની કામગીરી હાથ ધરી.


સિંહબાળમાં રોગચાળાની આશંકા

પાલીતાણા શેત્રુંજી ડીવીઝન હેઠળ આવતી જાફરાબાદ રેન્જમાં વનવિભાગ દોડતું થયું. અને સિંહોનું રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયું. કાગવદર સિમમાંથી 9 સિંહબાળ 1 સિંહણને પાંજરે પુરવામાં આવ્યા. વન વિભાગ દ્વારા જાફરાબાદ તાલુકામાં રેવન્યુ વિસ્તાર માઇન્સ વિસ્તાર ઉધોગોમાં વસવાટ કરતા સિંહોના સ્કેનિંગની કામગીરી શરૂ કરવામાં આવી. જેમાં સિંહબાળના સેમ્પલ લઈ લેબમાં મોકલાશે. અને એનિમલ ડોક્ટરની ટિમ સિંહના હેલ્થ અંગે ચકાસણી કરશે. બાળસિંહના અચાનાક મોત બાદ વનવિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. 

વન્યજીવ પ્રેમીઓમાં શોકનો માહોલ

વનવિભાગ સિંહબાળના સેમ્પલ લઈ લેબમાં મોકલશે. અને એનિમલ ડોક્ટરની ટિમ સિંહના હેલ્થ અંગે ચકાસણી કરશે. ઉલ્લેખનીય છે કે ગતરોજ ગીરના જંગલમાં જય સિંહનું અવસાન થયું હતું. ગીરના જંગલમાં જય અને વીરુની જોડીના ખુદ વડાપ્રધાન નરેન્દ્રીમોદીએ વખાણ કર્યા હતા. એક મહિના પહેલા વિરુ નામના સિંહનું મૃત્યુ થયું હતું અને ગઈકાલે તેના ખાસ મિત્ર જય નામના સિંહનું મૃત્યુ થયું. ગીરમાં જય અને અમરેલીમાં 2 સિંહ બાળના મોતથી વન્યજીવ પ્રેમીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે

  • Follow us on: