સાંસદ, ધારાસભ્યો, અધિકારીઓ/કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે વૃક્ષારોપણનું મહત્વ સમજાવી અને વધુમાં વધુ વૃક્ષો વાવવાની નેમ લેવડાવી હતી.


વૃક્ષ આચ્છાદન વધારવા અંગે વિવિધ આગેવાનો દ્વારા પ્રેરણાત્મક સંબોધન કરવામાં આવ્યું હતું

મહાનુભાવોના હસ્તે સામાજિક વનીકરણ વિભાગમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ વિભાગની યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા હતા. વિધાર્થીઓ તથા એન.સી.સી કેડેટ સાથે મળીને મહાનુભાવોએ સ્થાનિક જાતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પર્યાવરણનું જતન, પાણી સંવર્ધન, વૃક્ષ આચ્છાદન વધારવા અંગે વિવિધ આગેવાનો દ્વારા પ્રેરણાત્મક સંબોધન કરવામાં આવ્યું હતું.

૬ થી ૧૫ સપ્ટેમ્બર સુધી જિલ્લાના ૧૪ તાલુકા તથા ૨૨૫ ગામોમાં તાલુકા અને ગ્રામ્ય કક્ષાનો વન મહોત્સવ ઉજવાશે

આગામી તબક્કે તારીખ ૬ થી ૧૫ સપ્ટેમ્બર સુધી જિલ્લાના ૧૪ તાલુકા તથા ૨૨૫ ગામોમાં તાલુકા અને ગ્રામ્ય કક્ષાનો વન મહોત્સવ ઉજવાશે. જેમાં ૨૯,૫૦૦ રોપાઓનું વાવેતર તથા ૫૯,૦૦૦ રોપાઓનું વિતરણ કરવામાં આવશે. કાર્યક્રમમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક પી.જી. ગાર્ડી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, કચ્છ પશ્ચિમના નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કર, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવડીયા, પરબતભાઈ પટેલ સાથે જિલ્લા તથા તાલુકા સ્તરના આગેવાનો, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા.


  • Follow us on: