બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ઉંબરી ગામે યુવક ની હત્યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઉંબરના રબારી વાસ જવાનાં માર્ગ પર આવેલા ખેતરમાં આ ઘટના ઘટીત થઈ હોવાનું સામે આવ્યું છે.


હત્યારો હત્યા કરી થયો રફુચક્કર

ઉંબરી ગામના રબારીવાસ જવાના માર્ગમાં આવેલા ખેતરમાં કિસનજી દિનેશજી ઠાકોર નામના યુવકની હત્યા થઈ હતી, જેને લઈને સમગ્ર પંથકમાં લોકોમાં ચકચાર મચી ગયો હતો. આ ઘટનાને લઈને લોકોમાં અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે કે આવી કરપીણ હત્યા કોણે અને કેમ કરી હશે. સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી આ હત્યા કરનાર વ્યક્તિને ઝડપથી પકડી શકાય. મૃતકના પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

પોલીસ દ્વારા હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કરાયા

ઘટનાની જાણ પોલીસને થતા સ્થાનિક પોલીસ, LCB, ડોગ સ્ક્વોડ, FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચીને તમામ પ્રકારના સબુતો એકઠા કરવામાં આવ્યા હતા અને આગળની તપાસ શરૂ કરી દીધી હતી. યુવકની હત્યા કોણે અને કયા કારણોસર કરી હતી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. કિસનજી દિનેશજી ઠાકોર નામના મૃતકના મૃતદેહને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે ખસેડવામાં આવ્યો હતો.

  • Follow us on: