બનાસકાંઠા જિલ્લા માટે એક રાહતના સમાચાર છે. કારણ કે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે મુકતેશ્વર ડેમમાં નવા નીરની આવક થઈ છે. ડેમમાં પાણીની સપાટી વધતાં તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ડેમમાંથી સરસ્વતી નદીમાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુકતેશ્વર ડેમમાં પાણીની આવક વધતા તેની સપાટીમાં વધારો થયો હતો.


મુકતેશ્વર ડેમમાંથી 200 ક્યુસેક પાણી છોડાયું

જેથી તંત્ર દ્વારા ડેમનો ગેટ ખોલીને નદીમાં 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડતા પહેલા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાયરન વગાડીને નદીકાંઠાના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. લોકોને નદીના પટમાં ન જવા માટે અને સલામત સ્થળે રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

પાણી છોડતા પહેલા લોકોને સાવચેત કરાયા

જોકે હવામાન વિભાગની આગાહી મુજબ જો ઉપરવાસમાં હજુ પણ વરસાદ પડશે તો ડેમમાં પાણીની આવક વધી શકે છે અને તે પરિસ્થિતિમાં નદીમાં વધુ પાણી છોડવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય ખેડૂતો માટે પણ સારો સાબિત થશે. કારણ કે આ પાણીથી ખેતી માટે સિંચાઈના પાણીની સમસ્યા હલ થઈ શકે છે.


  • Follow us on: