JNB જ્ઞાનમંજરી વિદ્યાપીઠની વિદ્યાર્થિનીઓએ રક્ષાબંધન પર્વ નિમિત્તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન અને એસ.પી. કચેરીની મુલાકાત લઈ નૈતિક મૂલ્યો અને રાષ્ટ્રીય ભાવનાઓથી પરિપૂર્ણ ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓએ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલિયા, નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ સહિત પોલીસ અધિકારીઓને રાખડી બાંધી તેમની અવિરત સેવા અને સમર્પિત અભિગમ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.


બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકે વિદ્યાર્થિનીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું

આ અવસરે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકે વિદ્યાર્થિનીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, “પોલીસ અને નાગરિકો વચ્ચે સકારાત્મક સહકાર સમાજની શાંતિ અને સુરક્ષા માટે સૌથી મહત્વપૂર્ણ છે. નવા પેઢીના ભવિષ્ય ઘડવામાં શિક્ષણ સાથે સંસ્કાર અને સમાજસેવાનો ભાવ પણ જરૂરી છે. ડીવાયએસપી મહર્ષિ રાવલે પોલીસ વિભાગની કામગીરી તથા મહિલાઓની સુરક્ષામાં પોલીસની જવાબદારી વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સુસંગત સંચાલન તથા આયોજન આચાર્ય અને કેમ્પસ ડાયરેક્ટર લીંબડીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

  • Follow us on: