બોટાદ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી અને ડાયમંડ એસોસિએશનના કારોબારી સભ્ય જગદીશભાઈ ચૌહાણને જાનથી મારી નાખવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે. આ મામલે જગદીશભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાળીયાદ ગામના કાળુભાઈ જેનતીભાઈ ઘોડકીયાએ ટેલિફોન પર જગદીશભાઈ ચૌહાણને ધમકી આપી હતી. આ ઘટનાથી સ્થાનિક રાજકારણ અને વેપારી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે અને આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
જાણો શું હતું બબાલનું કારણ













