વડોદરાના પાદરમાં થયેલા બ્રિજ અકસ્માત બાદ તંત્ર દ્વારા સલામતીના ભાગ રૂપે કામગીરી કરવામાં આવી રહી છે. શહેર તથા નદીઓ પરના બ્રિજોની તપાસ કરવામાં આવી રહી છે. જો બ્રિજની હાલત ખરાબ દેખાય તથા કોઈ જર્જરીત બ્રિજ પર ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વડોદરા, પંચમહાલ, અને ખેડાને જોડતો સેવાલિયા પાસેનો મહીસાગર નદી ઉપરનો જુનો બ્રિજ ભારે વાહન માટે સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે.
મહીસાગર નદી પરનો બ્રિજ ભારે વાહન માટે બંધ













