ગુજરાતમાં વધુ એક ગોઝારી દુર્ઘટના બનવા પામી. આજે વહેલી સવારે વડોદરા અને આણંદ વચ્ચે જોડતો ગંભીરા બ્રિજ ધરાશાયી થયો. દુર્ઘટનામાં વાહનો અને લોકો 30 ફૂટ ઉંડા પાણીમાં ખાબકયા. આ દુર્ઘટનામાં 10 લોકોનો મોત થયાનું સામે આવ્યું. પગલે તંત્ર દ્વારા હજુ પણ રેસ્કયુ કામગીરી ચાલુ છે. દરમિયાન આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર પઢિયાર પરિવારના એક શખ્સ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે જ્યારે અમે ઘટનાસ્થળ પર પહોંચ્યા ત્યારે અમને રોકવામાં આવ્યા. જો અમારા યુવકોને જવા દીધા હોત તો સંભવત મારા ઘરના લોકોને અમે બચાવી શકયા હોત.



મારો પરિવાર વિખેરાઈ ગયો

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પાદરાના પઢિયાર પરિવારના 3 સભ્યોના મોત થયાનું સામે આવ્યું છે. પઢિયાર પરિવારે આ ગોઝારી દુર્ઘટનામાં પિતા અને બે સંતાનોને ગુમાવ્યા. જ્યારે એક મહિલા સોનલબેન પઢિયાર ગંભીર રીતે ઇજા પામ્યા છે. સોનલબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મૃતક રમેશના પિતાનું દર્દ છલકાયું. પિતાએ કહ્યું કે મારો પરિવાર વેરવિખેર થઈ ગયો. મેં મારા જુવાનજોધ છોકરાને ગુમાવ્યો. જ્યારે અમને આ બનાવની જાણ થઈ ત્યારે અમે અને અમારા સંબંધીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. પરંતુ અમને ત્યાં પોલીસે રોકી રાખ્યા અને નદીમાં શોધખોળ કરવા જવા ના દીધા.


તંત્રની સમયસર મદદ ના મળી

આ દુર્ઘટનામાં 12 વાગ્યા સુધી તંત્ર તરફથી વધુ મદદ ના મળી. જો તંત્ર દ્વારા સમયસર કામગીરી કરવામાં આવી હોત તો સંભવત મારા દિકરા સહિત અન્ય લોકોના જીવ પણ બચી શકયા હોત. અમારા પરિવારના યુવાનોને જવા દિધા હોત તો પુત્રને બચાવી શકયા હોત. આ દુર્ઘટનામાં બે જમાઇના પણ મોત થયા. જણાવી દઈએ કે વડોદરા જિલ્લાના પાદરા ખાતે બનેલી દુર્ઘટનાને લઈને રાજ્ય સરકારે મૃતકોને 4 લાખની સહાયની જાહેરાત કરી છે. જ્યારે કેન્દ્ર સરકારે પણ મૃતકોને 2 લાખની સહાય જાહેર કરી. જ્યારે ઇજાગ્રસ્તો ને કેન્દ્ર અને રાજ્ય સરકાર 50-50 હજાર ની સહાય કરશે.

  • Follow us on: