વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃત્યુઆંક 17 પર પહોંચ્યો છે. આજે નદીમાંથી ચાર મૃતદેહો બહાર કઢાયા છે. ગઈકાલે શોધખોળ દરમિયાન 13 મૃતદેહો મળ્યા હતાં. હજુ પણ કાટમાળ નીચે મૃતદેહ હોવાની આશંકા છે. આ ઘટનામાં મહિસાગર નદીમાં છેલ્લા 38 કલાકથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. લોકોએ મહિસાગર નદીના પટમાં રેસ્ક્યૂ ઓપરેશન માટે નદીને પ્રાર્થના કરી છે.
હવે ફક્ત સર્ચ ઑપરેશન હાથ ધરાશે












