અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા મુમતપુરા નજીકથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સ્થળ પર રહેલા પાણી ભરાયેલા ખાબોચિયામાંથી બિનવારસી હાલતમાં યુવકની લાશ મળી આવી હતી. સ્થાનિક લોકોની નજર આ મૃતદેહ પર પડતા જ તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.
સરખેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તપાસનો ધમધમાટ
ઘટનાની જાણ થતાં જ સરખેજ પોલીસ સ્ટેશનનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને ખાબોચિયામાંથી બહાર કાઢીને કબજે લીધો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકોના મોટા ટોળાં પણ એકઠા થઈ ગયા હતા.
